તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ.
તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એક જબરદસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે. એ છે આકર્ષણનો સિદ્ધાંત. અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકો, કામ, સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જોકે આમાંનું ઘણું સારું ન પણ હોઈ શકે! જો તમારા જીવનમાં કરુણ ઘટનાઓ બન્યા જ કરતી હોય તો આ પુસ્તક વાંચવાનો આજ શ્રેષ્ઠ સમય છે.
આ પુસ્તક તમને શીખવશે કે આકર્ષણના સિદ્ધાંતને કેવી રીતે વાપરવો જેથી તમે જિંદગીમાં જે નથી જોઈતું તેને દૂર કરી શકો અને એવી વસ્તુઓ આકર્ષી શકો જે તમને સુખ, શક્તિ અને સમૃદ્ધિ આપે.
જુઓ, નીચેની બાબતો માટે આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો કેટલો સરળ છે!
* તમારે જે નથી જોઈતું તેને તમારી તરફ આકર્ષવાનું બંધ કરવા માટે
* તમારી જિંદગીમાં સમૃદ્ધિ અને સંપત્તિ વધારવા માટે
* તમારા માટે આદર્શ જીવનસાથી અને આદર્શ સંબંધોને આકર્ષવા માટે
* તમારા વ્યવસાય અને ગ્રાહકો વધારવા માટે
* તમારી આદર્શ કારકિર્દીના ઘડતર માટે
‘કેટલાંક પુસ્તકો તમારી જિંદગી બદલી નાંખે તેવાં હોય છે. આકર્ષણનો સિદ્ધાંત એમાંનું એક પુસ્તક છે. જ્યારે તમે સમજશો કે આકર્ષણનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે અને ખરેખર જોશો કે તકો, પ્રેરણા, ધન અને લોકોનો પ્રવાહ તમારી જિંદગીમાં શરૂ થઈ ચૂક્યો છે ત્યારે તમે બધાંને આ પુસ્તક વિશે કહેતા ફરશો.’
કૅરોલ એડ્રીની
Ph.D., પર્પઝ ઑફ યૉર લાઇફ તથા વૉટ લાઇફ ચેન્જીસ, ઑર યુ વિશ ઇટ વુડના લેખક
Be the first to review “Aakarshan No Siddhant”
You must be logged in to post a review.