ધર્મ, સમાજ અને સંસ્કૃતિની બાબતોમાં આજે કોલાહલ પ્રવર્તે છે. દરેક લોકો પોતપોતાની વ્યાખ્યા કરીને આપણી ઉપર થોપી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો અર્થ કોઈ ચોક્કસ પ્રકારની પૂજા કે સાંપ્રદાયિક પંથ એવો નથી. ધર્મનો અર્થ છે જીવનશૈલી. વ્યક્તિ અને સમાજ બંનેને દૃષ્ટિમાં રાખીને જીવન જીવો એ આચારસિદ્ધાંતને ધર્મ કહે છે. સહિષ્ણુતા, સદ્ભાવના, સહકાર અને સંઘભાવના એ ભારતવર્ષની સંસ્કૃતિના પાયાના મંત્રો છે.
આ સૌમાં સદ્ભાવનાનો મંત્ર જાદુઈ છે. ભારતના ઋષિમુનિઓ, તત્ત્વજ્ઞાનીઓ અને સમાજચિંતકોએ સદ્ભવાનાના આદર્શને કેન્દ્રમાં રાખીને સમાજવ્યવસ્થાની સ્થિરતાને ટકાવી રાખી છે.
શું છે આ સદ્ભાવના?
સદ્ભાવના કેવી રીતે કેળવી શકાય?
કેવી રીતે ધર્મની સાચી સમજણ મેળવી શકાય?
સનાતન સત્ય – સાચું જ્ઞાન અને પરાક્રમ કોઈનો દ્વેષ કરવામાં નથી. સૌની સાથેનો આત્મીયભાવ જ સાચું જીવન અને ધર્મ છે.
























Be the first to review “Sadbhavana”
You must be logged in to post a review.