આદિ-માનવે જ્યારે પેટ ભરવામાં મદદરૂપ થાય એના માટે પ્રથમ શસ્ત્ર શોધ્યું હશે ત્યારે એ જ શસ્ત્ર એના માનવ બંધુઓના સંહારમાં વપરાશે એવો એને ખ્યાલ નહીં જ હોય! અને આજે આપણે જોઈએ છીએ કે માણસે શોધેલાં શસ્ત્રો સૌથી વધારે માણસને મારવામાં જ વપરાય છે! એવું જ વરવું સ્વરૂપ AIનું પણ થઈ શકે છે. એ આવિષ્કાર એક એવો સહસ્ત્રફેણી સાપ છે કે જો એને કાબૂમાં કરવાના ઉપાયો નહીં વિચારી રખાય તો એક દિવસ એ સંપૂર્ણ માનવજાતને ડંખી જશે, ભરખી જશે અથવા તો કાબૂમાં લઈ લેશે.
– ડૉ. આઈ. કે. વીજળીવાળા
Be the first to review “Aavishkarno Agankhel”
You must be logged in to post a review.