ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.
ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!
પરમાત્માના મુખે ગવાયેલું માનવજીવનનું વૈશ્વિક ગીત એટલે આ વિશ્વગીતા! વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો કર્મ, ધર્મ અને જીવનને સ્પર્શતો સૂક્ષ્મ સંવાદસેતુ તમને આ પુસ્તકમાં માણવા મળશે. `વસુધૈવ કુટુંબકમ્’ના જીવનમંત્રનું ભગવદ્ગીતાના સંદર્ભે `વિશ્વગીતા’માં રજૂ કરેલું વિશ્વમાનવ દર્શન અને વૈશ્વિક માનવદર્શન તમને લૉકલ વિલેજ લાઇફથી માંડીને ગ્લૉબલ વિલેજ લાઇફ સુધીની લાઇફ સ્ટાઇલ શીખવશે.
Be the first to review “Vishvagita”
You must be logged in to post a review.