l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું જુદો છું. તેઓની સાથે મારું તાદાત્મ્ય સધાય, ઐક્ય આવી જાય અને હું તે જ છું એમ જ મને લાગે.”
l “સમય પાકે એટલે ગુરુ આપોઆપ મળી આવે છે. ગુરુને શોધવો પડતો નથી.”
l “આ યુગ છે સાયન્સનો, પરંતુ માણસોને ખ્યાલ તો આવે કે ભગવાનની ચેતના છે, ભગવત્તત્ત્વ છે, સક્રિય છે. એ કોઈ કલ્પનાનો વિષય નથી. જો ભગવાન અનુગ્રહ કરે તો અનુભવ થાય.
l “ભગવાન બુદ્ધિથી પકડાતો નથી, કોઈ વ્યાખ્યાના બાંધમાં આવતો નથી. ભગવાન માટેની કોઈપણ વ્યાખ્યા અધૂરી છે. બુદ્ધિ ફક્ત આપણી દોરવણી પૂરતી છે. દરેક બાબતમાં રિઝનિંગ કર્યું તો ભગવદ્પ્રાપ્તિ થવી મુશ્કેલ છે.”
l “કોઈ સર્વજ્ઞ હોય, સર્વવ્યાપી હોય અને સર્વશક્તિમાન હોય – આ ત્રણેય શક્તિ હોય તો સમજવું કે Divinity છે, કોઈ Spirit નથી.”
– પૂ. ભાઈ (નાથાલાલ જોશી)






















Be the first to review “Virat Chetna Na Pradesh Ma”
You must be logged in to post a review.