1857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ – બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર – ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે.
એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે.
એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ ચૌદ વર્ષો પસાર કર્યા હતાં. એ ચૌદ વર્ષ એમણે ત્યાં કેવી રીતે ગાળ્યાં, તેનું રસિક છતાં હૃદયભેદક અને વાચકનાં રોમેરોમ ખડાં કરી દે એવું આ પ્રેરણાત્મક અને વિચારોત્તેજક પુસ્તક છે.
Be the first to review “Mari Janmatip”
You must be logged in to post a review.