લાગણીને કિનારે માણસમાત્ર સરખાં છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસજાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદનાઓ-સંવેદનાઓ તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી આવી છે. તે વ્યક્તિની સંવેદનાને અને એની કોઈને કોઈ સમસ્યાને તાકે છે-તાગે છે.
ગુજરાતી વાર્તાસાહિત્ય સદાબહાર રહી શક્યું છે એના મૂળમાં સંવેદનસભર સર્જકો અને એ સર્જકોની અભિવ્યક્તિ છે. સંવેદનાથી તરબતર થયેલો શબ્દ ક્યારેય કરમાતો નથી એવું આ સંગ્રહની વાર્તાઓ વાંચતા તમને અચૂક સમજાશે. આ સંગ્રહની દરેક વાર્તાઓ તમને તમારી લાગણીઓ સાથેનો `લાઇવ’ પરિચય કરાવશે.
Be the first to review “Autograph”
You must be logged in to post a review.