‘સંસ્કારનું સીંચન’ બાળકો માટેની વાર્તાઓનું પુસ્તક છે. આ સંગ્રહમાં શિશુઓને ગમે એવી પ્રાણી-પંખીઓની વાર્તાઓ છે.
બાળક ઘરના ઉંબરમાંથી બહાર નીકળી શાળામાં જવા લાગે પછી એની સામે નવી દુનિયા ઊઘડવા લાગે છે. દાદાદાદી, માતાપિતા, ભાંડરુઓની હૂંફમાંથી બહાર નીકળી એ સ્વતંત્ર વ્યક્તિ બનવાનો આરંભ કરે છે. શાળામાં એ અન્ય બાળકોના સંપર્કમાં આવે છે. ઘરનાં વડીલોની સાથે શાળાનાં શિક્ષકો એનાં માર્ગદર્શક બને છે. શાળાનું વાતાવરણ પણ એમાં ભાગ ભજવે છે. સાથે ભણતાં બાળકોનાં વાણી, વર્તન અને સારી-ખરાબ સોબતની એના પર અજાણતાં જ છાપ પડે છે. શીખવા જેવી બાબતોની સાથે ન શીખવા જેવું પણ એ શીખે છે.
આ ઉંમરે દરેક બાળક કોરી પાટી જેવું હોય છે. બાળપણ અને કિશોરાવસ્થાની વચ્ચે આવેલો ઉંમરનો આ તબક્કો બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરવાનો યોગ્ય સમય છે. બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે બાળમાનસને સમજવું જરૂરી છે. એ માટે ઉપયોગી બની શકે એવાં જીવનમૂલ્યોનો સંદેશ આપતી આ બાળવાર્તાઓ બાળકો અને વડીલોને ઉપયોગી થશે.
Be the first to review “Sanskarnu Sinchan”
You must be logged in to post a review.