Sanskarnu Sinchan

Category Children Literature, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘સંસ્કારનું સીંચન’ બાળકો માટેની વાર્તાઓનું પુસ્તક છે. આ સંગ્રહમાં શિશુઓને ગમે એવી પ્રાણી-પંખીઓની વાર્તાઓ છે.

બાળક ઘરના ઉંબરમાંથી બહાર નીકળી શાળામાં જવા લાગે પછી એની સામે નવી દુનિયા ઊઘડવા લાગે છે. દાદાદાદી, માતાપિતા, ભાંડરુઓની હૂંફમાંથી બહાર નીકળી એ સ્વતંત્ર વ્યક્તિ બનવાનો આરંભ કરે છે. શાળામાં એ અન્ય બાળકોના સંપર્કમાં આવે છે. ઘરનાં વડીલોની સાથે શાળાનાં શિક્ષકો એનાં માર્ગદર્શક બને છે. શાળાનું વાતાવરણ પણ એમાં ભાગ ભજવે છે. સાથે ભણતાં બાળકોનાં વાણી, વર્તન અને સારી-ખરાબ સોબતની એના પર અજાણતાં જ છાપ પડે છે. શીખવા જેવી બાબતોની સાથે ન શીખવા જેવું પણ એ શીખે છે.

આ ઉંમરે દરેક બાળક કોરી પાટી જેવું હોય છે. બાળપણ અને કિશોરાવસ્થાની વચ્ચે આવેલો ઉંમરનો આ તબક્કો બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરવાનો યોગ્ય સમય છે. બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે બાળમાનસને સમજવું જરૂરી છે. એ માટે ઉપયોગી બની શકે એવાં જીવનમૂલ્યોનો સંદેશ આપતી આ બાળવાર્તાઓ બાળકો અને વડીલોને ઉપયોગી થશે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sanskarnu Sinchan”

Additional Details

ISBN: 9789361970740

Month & Year: March 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 70

Dimension: 8.5 × 5.5 × 0.1 in

Weight: .105 kg

બાળવાર્તાનાં સુપ્રસિદ્ધ વાર્તાકાર પુષ્પા અંતાણીનો જન્મ ચેન્નઈ (મદ્રાસ)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મદ્રાસમાં લીધું, ગુજરાતી સાહિત્યના વિષયમાં B.A. સુધીનો અભ્યાસ ભુજ-કચ્છમાં કર્યો. ત્યાર બાદ આકાશવાણીના… Read More

Additional Details

ISBN: 9789361970740

Month & Year: March 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 70

Dimension: 8.5 × 5.5 × 0.1 in

Weight: .105 kg