ઓશોએ જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને કયા દૃષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં સુખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુ:ખનું મૂલ્ય કેટલું છે?
ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ 80 વર્ષનું હોય તેમાંનો આ પ્રસંગ જીવનનો કેટલામાં ભાગનો અને કેટલા સમય માટે છે તે વિચારવું. ઘણાં લોકો નાના નાના દુઃખને એટલું મોટું કરીને જીવે, કે રાઈનો પર્વત બનાવી દે. પ્રભુને કહે કે મને જ શા માટે આટલું બધું દુઃખ આપ્યું? અને જ્યારે સુખ ખૂબ જ હોય ત્યારે કોઈ પ્રભુને નથી પૂછતું કે મને જ શા માટે આટલું બધું સુખ આપ્યું? થોડું સુખ મને ઓછું આપીને જે બહુ દુ:ખી છે તેને પણ આપો ને! આ છે જીવન અને આ જ છે આપણી મનોવૃત્તિ.
ઓશોએ શીખવેલાં આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આપણે સૌ જીવન જીવીએ તો જીવનમાં આવતાં સુખ-દુઃખને અને તેને અનુભવીને આવતાં હાસ્ય અને રુદન પણ સમ્યક્ રહે અને આપણને ખ્યાલ આવે કે હું હસું તેથી કોને શું ? હું રડું તેથી કોને શું ?
આ બંને બાબતોથી પર થઈને આપણે સૌએ જીવનને આનંદથી જીવવું જોઈએ.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858389
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789389858389
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Weight: 0.15 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Hasvu Radvu”
You must be logged in to post a review.