દેશી રજવાડાંઓના વિલીનીકરણનો પ્રશ્ન એટલો બધો પેચીદો છે કે તેનું નિરાકરણ માત્ર તમારા જ હાથમાં છે.
– ગાંધી સરદાર પટેલને
*
બાપુએ કહ્યું છે કે જેઓ રાજકારણમાં હોય તેમની પાસે કોઈપણ પ્રકારની માલ-મિલકત હોવી ન જોઈએ અને મારી પાસે કશું જ નથી.
– સરદાર પટેલ
*
…તે સમયે (1946માં) મને એવું લાગ્યું કે જવાહરલાલ કૉંગ્રેસ અધ્યક્ષ (અને તેથી ભારતના પ્રથમ વડાપ્રધાન) બનવા જોઈએ. મેં મારા પક્ષે શ્રેષ્ઠ નિર્ણય લેવા પ્રયત્ન કર્યો પણ ત્યાર પછી જે રીતે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો તે જોઈને મને ભાન થયું કે આ મારી રાજકીય કારકિર્દીની કદાચ સૌથી મોટી ભૂલ હતી… મારી બીજી ભૂલ એ, કે જ્યારે મેં મને પોતાને ટેકો ન આપવાનું વિચાર્યું ત્યારે મેં સરદાર પટેલને સાથ ન આપ્યો.
– અબુલ કલામ આઝાદ
*
પટેલ બિસ્માર્ક જેવી આયોજન-ક્ષમતા, ચાણક્ય જેવી તેજ આગેવાની અને દેશમાં એકતા સ્થાપવાની અબ્રાહમ લિંકન જેવી પ્રતિબદ્ધતા ધરાવતા હતા.
– વી.વી. ગિરી, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ
*
સરદાર એક એવા મહાનુભાવ હતા જે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી સમસ્યાની જડમાં જઈને તેનું સમાધાન શોધી લાવતા.
– ફ્રેન્ક એન્ટની
*
નહેરુથી તદ્દન વિરુદ્ધ, સરદાર પટેલ સગાવાદથી જોજનો દૂર હતા. આઝાદી પછી સરદારને દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડાહ્યાભાઈ – તેમના દીકરા સરદારને મળવા ગયેલા ત્યારે સરદારે તેમને કહેલું, “જ્યાં સુધી હું આ ખુરશી પર છું ત્યાં સુધી મારી મુલાકાત ન લેવી; હું બહુ બીમાર હોઉં કે તમારે મારું બહુ જરૂરી કામ હોય તો જ આવવું. બધા જ પ્રકારના લોકો તમારો સંપર્ક કરશે. ધ્યાન રાખજો.”
*
સરદારના અંગત સચિવ વી. શંકરે લખ્યું છે: “હૈદરાબાદની પરિસ્થિતિ પરાકાષ્ઠા તરફ આગળ વધી રહી હતી. સરદારના સતત દબાવને કારણે, પંડિર નહેરુ અને રાજાજીનો વિરોધ હોવા છતાંય, હૈદરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નહેરુ અને રાજાજીની અસંમતિના સંદર્ભે સરદારે એવી પ્રતિક્રિયા આપી કે ‘અહિંસાના હિમાયતી(અહીં ગાંધીજી)ની આ બે વિધવાઓ આ પરિસ્થિતિમાં વિલાપ કરી રહી હતી.”
*
Be the first to review “Sardar Patel : Bharat Ne Kyarey Na Malel Shresth Vadapradhan”
You must be logged in to post a review.