આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો!
વિચારોની શક્તિ અને તેની ઊંડી અસરની તાકાતને સમજવાનો સમય આવી ગયો છે. એક સારો વિચાર વ્યક્તિનું જીવન બદલી નાંખવાની તાકાત ધરાવતો હોય છે અને બદલાયેલી એ વ્યક્તિ આખા કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે દુનિયાને નવી જ દિશા તરફ લઈ જઈ શકે છે.
આ પુસ્તકમાં સમાવાયેલા અનેક અનુભવી મહાનુભાવોના સોનેરી વિચારો તમને એક નવા જ વ્યક્તિ બનાવશે એની તૈયારી રાખજો.
Be the first to review “Soneri Suvakyo No Khajano”
You must be logged in to post a review.