પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા – જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો છે. આ પુસ્તકની સામગ્રી ઘણી લાઈબ્રેરીઓમાંથી એકઠી કરી છે. ઘણાં પુસ્તકો ઇદી અમીન વિષે વાંચ્યાં, પણ યુદ્ધની કડીબદ્ધ માહિતી ક્યાંથી કાઢવી ? સુખદ આશ્ચર્ય તો ત્યારે થયું કે, USAની પબ્લિક લાઇબ્રેરીમાં સાત મહિના ચાલેલા યુદ્ધના વર્તમાનપત્રોમાં આવતા કડીબદ્ધ સમાચારોની ફાઈલ હાથમાં આવી. વાંચી રૂંવાડાં ખડાં થઈ ગયા. અંગ્રેજીમાં તો ઇદી અમીન અને ઓબોટે વિષે ઘણાં પુસ્તકો લખાયાં છે, પણ ગુજરાતીમાં ? એમાંય ભારતના ગુજરાતી સમાજને ઇદી અમીન વિષે કેટલી ખબર ? એ પ્રશ્ન મનમાં ઘુમરાવા લાગ્યો. પુસ્તક લખાવા લાગ્યું. એક આફ્રિકન દેશના, એક નરપિશાચ પ્રેસિડન્ટ વિષે લખતાં એક નવું જ વાતાવરણ ઊભું થયું. વાચક ન જોઈ હોય તેવી એક દુનિયામાં જશે એ ચોક્કસ. ચીલાચાલુ સામાજિક નવલકથાઓને બદલે આ સામાજિક, રાજકીય ને ઐતિહાસિક નવલકથા બની રહેશે, તેવું મારું માનવું છે. ગુજરાતી સાહિત્યને એક નવા જ વાતાવરણવાળી નવલકથા પ્રસ્તુત કરતાં અનેરો આનંદ થાય છે.
– નવીન વિભાકર
Be the first to review “Sarmukhatyar”
You must be logged in to post a review.