સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે.
દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ બની શક્યાં? પોતાનાં સંઘર્ષના સમયમાં કેવી રીતે તેઓ પોતાની નીતિમત્તા અને દૃઢ મનોબળને કારણે સફળતા મેળવી શક્યાં? હવે તેમની પાસે અખૂટ સંપત્તિ હોવા છતાં કેવી રીતે સાદગીભર્યું અને સંતોષી જીવન તેઓ જીવી શકે છે? જ્ઞાન, ધીરજ, નમ્રતા, હિંમત, શાંતિ, અનુભવ, સ્મિત, સહનશક્તિ, પ્રેમ, સંવેદના, સંસ્કાર, વાંચન અને સેવા જેવાં અનેક ગુણોએ એમનાં જીવનમાં શું ભાગ ભજવ્યો છે?
આવા અનેક પ્રશ્નોના જવાબો આ પુસ્તકમાં ઠેરઠેર મળશે. વર્ષોના અનુભવો બાદ સુધા મૂર્તિએ જીવનમાંથી વીણેલી, ગૂંથેલી અદ્ભુત વાતો આ પુસ્તકમાં કરવામાં આવી છે. તેમનાં અત્યાર સુધીનાં અનેક લખાણોમાંથી Best of the Best લખાણો પસંદ કરીને અહીં મૂકાયાં છે. આ પુસ્તક તમે તો વાંચજો જ, પણ તમારાં સંતાન, શિક્ષક, સહકર્મચારી અને એ દરેક વ્યક્તિને વંચાવજો જે તમારા જીવન સાથે કોઈકને કોઈક રીતે જોડાયેલાં છે.
જીવનમાં સફળતા અને સાર્થકતાનો અનેરો સંગમ અહીં પા+નેપાને અનુભવાશે.
Be the first to review “Atra Tatra Sarvatra”
You must be logged in to post a review.