Patangiyana Farfaratthi Vavazodu

Select format

In stock

Qty

દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે.
એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે.
આ થિયરીની ટૅક્નિકલ વૈજ્ઞાનિક બાબતોમાં આપણે નહીં જઈએ, પણ જેમ ગુરુત્વાકર્ષણના નિયમની વૈજ્ઞાનિક વિગતો ન જાણતાં હોઈએ તોય ઉપરથી ફેંકાયેલી વસ્તુ જમીન પર જ પડે છે અને એ નિયમ પ્રકૃતિમાં લાગુ થઈ જ રહ્યો છે એટલું તો આપણને સમજાય જ છે. બરાબર આવું જ કંઈક આ થિયરીનું છે, જેને બટરફ્લાય થિયરી કહેવામાં આવે છે. દુન્યવી સંદર્ભમાં આના માટે એમ કહી શકાય કે એક સાવ સામાન્ય કહી શકાય એવી વ્યક્તિની હરકત પણ આખા માનવજાતિનો ઉદ્ધાર કે સંહાર સર્જી શકે છે!
આ પુસ્તકમાં એવા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તનરૂપી વાવાઝોડું લાવી શકે છે. નવો વિચાર, નવી ક્રાંતિ, નવા સિદ્ધાંતો દ્વારા જીવનમાં પરિવર્તન લાવવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું…

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Patangiyana Farfaratthi Vavazodu”

Additional Details

ISBN: 9789395556590

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.19 kg

સિદ્ધહસ્ત લેખિકા ગીતા માણેકે પોતાની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં નવલકથા, નવલિકાઓ, પ્રવાસવર્ણન, બાળવાર્તાઓ, નિબંધો, અનુવાદ વગેરે તમામ સાહિત્યપ્રકારોમાં કામ કર્યું… Read More

Additional Details

ISBN: 9789395556590

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 170

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.19 kg