સુખની કિંમત કેટલી હોઈ શકે?
નિષ્ફળતાઓના કેટલાં પુરાવા આપવાના હોય?
મા-બાપ બનવાના કોઈ ટ્યૂશન ક્લાસ હોય?
વડીલો – નડતરરૂપ પથ્થર હોય કે સાચા માર્ગદર્શકો?
મનગમતી નોકરી મળે જ નહીં તો?
તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા?
આજની વાઈબ્રન્ટ Lifestyleમાં આવાં અનેક પ્રશ્નો સૌને મૂંઝવતા હોય છે અને આ પ્રશ્નોના ઉકેલ ન મળે ત્યાં સુધી સૌની જીવનનૌકા હાલકડોલક થયા કરતી રહે છે.
કહેવું હોય તો કહી શકાય કે પૃશ્વીના સૌથી પહેલાં મૅનેજમૅન્ટ ગુરુ શ્રી કૃષ્ણ હતા. તેમણે શ્રીમદ્ ભગવદગીતામાં આપેલું જ્ઞાન એ જીવનના દરેક પ્રશ્નો, મૂંઝવણો અને પરિસ્થિતિઓમાં સાચો રસ્તો બતાવનારું છે. સદીઓ પહેલાં કહેવાયેલી એ વાતો Modern સ્વરૂપમાં અહીં રજૂ કરવામાં આવી છે. તમારા જીવનમાં તમે જે સ્થિરતા શોધી રહ્યાં છો તે તમને અહીંથી મળશે.
Be the first to review “Krushna Nu Modern Management”
You must be logged in to post a review.