સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે!
જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?
એ જાદુઈ અને અનોખું રહસ્ય છે – ઇકિગાઈ. ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’.
જાપાનીઝ લોકો જ્યારે દુ:ખી હોય છે ત્યારે ખુદને જ પૂછતાં હોય છે કે, ‘ક્યાં ગઈ મારી ઇકિગાઈ?’ કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં, પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે.
ઇકિગાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો – આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે.
ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર – આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિગાઈને – ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને ‘તમારું સુખ’ શોધવા માટે ચોક્કસ મદદ કરશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અને જીવનભર `ઍક્ટિવ’ રહો.
Ashutosh Upadhyay
Great Book !
Great Paper Quality And Amazing Colours,
Packaging and shipping also Great!
Thanks Publisher For Original Gujarati Edition.