વિરાટ મુશ્કેલીઓને હરાવવાનું શીખવતી પ્રેરણાત્મક કથા
શિક્ષક કદી સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં વિકસે છે.
ચાણક્ય
ભારતીય ઇતિહાસના યુગપુરુષ
2300 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે.
મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની સાથે જ થાય છે. જીવનમાં દરેક પળે અને સ્થળે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. તેનાથી થાકી, હારીને આપણે હતાશ થતા રહીએ છીએ. ચાણક્યે કહ્યું છે કે માણસ ત્યારે જ હારે છે જ્યારે એ હાર સ્વીકારે છે.
આવાં અનેક શાશ્વત સત્યને ભૂલીને આપણે, એ મુશ્કેલીનો ઉકેલ શોધવાના બદલે પોતાની જિંદગી અને નસીબને દોષ આપતા રહીએ છીએ.
સદીઓ પહેલાંનું ચાણક્યનું આ જ્ઞાન અહીં, આજના યુગનાં સંદર્ભે પણ અકસીર પુરવાર થાય છે. જીવનમાં વિરાટ મુશ્કેલીઓને કેવી રીતે હરાવી શકાય તેને હળવાશથી સમજાવતી આ સિમ્બોલિક પ્રેરણાત્મક કથા નાના-મોટાં સૌને જીવનમાં નવી જ દિશા બતાવશે.
Be the first to review “Chatur Chanakya”
You must be logged in to post a review.