Vinesh Antani
35 Books / Date of Birth:- 27-06-1946
વીનેશ અંતાણી એ ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર છે. તેમનો જન્મ માંડવી (કચ્છ) નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. 1975માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે જોડાયા અને સ્વેચ્છાએ સ્ટેશન ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. બાદમાં તેમણે ‘ઈન્ડિયા ટુડે’ સામાયિકની ગુજરાતી આવૃત્તિ સંપાદિત કરી. તેમના પુસ્તક ‘ધુંધભરી ખીણ’માં પંજાબમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રહેતા લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની નવલકથાઓનો હિન્દીમાં ‘નગરવાસી’, ‘કફિલા’ અને ‘ધુંધભરી વાદી’ અને ઓડિયામાં ‘ધૂમરાભા ઉપાટ્યકા’ તરીકે ભાષાંતર કરવામાં આવી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી હતી. તેમણે હિન્દી લેખક નિર્મલ વર્માની કૃતિઓ ‘એક ચિંથરુ સુખ’ (1997) અને ‘કાગડો અને છૂટકારો’ તરીકે અનુવાદિત કરી. તેમણે એરિક સેગલની ‘લવ સ્ટોરી’નો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. તેમણે રેડિયો નાટકો ‘લીલા વાંસનો ટહુકો’ અને ‘માલિપા’ લખ્યા છે. તેમણે હિન્દી નાટ્યકાર મણિ મધુકરના નાટકનું ગુજરાતીમાં ‘અંધેરી નગરી’ તરીકે ભાષાંતર કર્યું છે. તેમનું એબ્સર્ડ નાટક ‘હિંમતલાલ હિંમતલાલ’ પણ શ્રોતાઓ સામે રજૂ કરાયું છે. તેમને ૧૯૯૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અને કે. એમ. મુનશી સુવર્ણચંદ્રક, તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઈનામો મળ્યા છે. તેમની કૃતિ ‘ધૂંધભરી ખીણ’ માટે 2000માં તેમને ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ મળ્યો હતો.
No products were found matching your selection.