Javed Akhtar
1 Book / Date of Birth:-
17-01-1945
જાવેદ અખ્તર કવિ, ગીતકાર અને સ્ક્રીનપ્લે રાઇટર છે. તેઓ મૂળ ગ્વાલિયરના છે. તેમને ‘પદ્મશ્રી’ (1999), ‘પદ્મભૂષણ’ (2007), ‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ ’ તેમજ પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળેલા છે. કારકિર્દીની શરૂઆતમાં તેઓ સ્ક્રીનપ્લે રાઇટર હતા, જ્યારે તેમણે ‘દિવાર’, ‘જંજીર’ અને ‘શોલે’ જેવી ફિલ્મ્સ લખી છે. ત્યારબાદ સ્ક્રીનપ્લે રાઇટિંગ છોડી દીધું અને ગીતકાર તેમજ સામાજિક-રાજકીય કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. 2020 માં તેમને ધર્મનિરપેક્ષતા, મુક્ત વિચારસરણી, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા યોગદાન બદલ ‘રિચાર્ડ ડોકિન્સ’ એવોર્ડ મળ્યો.
View cart “Vyaspith Vagdevi Nu Vikramasan” has been added to your cart.