Esther David
1 Book / Date of Birth:-
17-03-1945
એસ્થર ડેવિડ એક લેખિકા છે. ભારતમાં યહૂદી જીવન પર આધારિત તેમનું પુસ્તક ‘બુક ઓફ રશેલ’ માટે તેમને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો છે.
તેઓ ઇન્ડો-યહૂદી સાહિત્યના પ્રણેતા તરીકે જાણીતાં છે. તેમની નવલકથાઓ ફ્રેન્ચ, હિબ્રુ, ગુજરાતી અને મરાઠીમાં અનુવાદિત થઈ છે. તેઓ ભારત અને વિદેશમાં અનેક સાહિત્ય પરિષદોમાં વક્તા રહી ચૂક્યા છે. તેઓ અમદાવાદમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ માટે કલા વિવેચક અને કટારલેખક હતા, જ્યાં તેમણે કલા, પ્રકૃતિ, મહિલાઓ અને શહેર કેન્દ્રિત મુદ્દાઓ વિશે લખ્યું હતું. તેઓ ઘણી વખત CEPT યુનિવર્સિટીમાં કલાને કેવી રીતે જોવી તે શીખવે છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના અધ્યક્ષ હતા, જ્યારે તેમણે પશ્ચિમ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર માટે કલા પ્રવૃત્તિઓનું સંકલન પણ કર્યું હતું. તેઓએ ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સ, M.S.Uમાં શિલ્પ અને કલાના ઇતિહાસનો અભ્યાસ કર્યો.
એસ્થર ડેવિડની નવલકથાઓ ‘ધ વોલડ સિટી’, ‘બુક ઑફ એસ્થર’, ‘બુક ઓફ રશેલ’ વગેરે છે. ‘માય ફાધર્સ ઝૂ’ પુસ્તકનું આર.આર.શેઠ ઍન્ડ કંપની દ્વારા ‘મારા ડેડીનું ઝૂ’ તરીકે અનુવાદ થયો છે.
View cart “Manavta Nu Meghdhanush” has been added to your cart.