લેખક ભરત તન્નાનો જન્મ સોમનાથ પ્રભાસપાટણ ખાતે થયો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોમનાથ અને વેરાવળ હાઈસ્કુલમાં મેળવ્યા બાદ તેમણે ઉચ્ચ શિક્ષણ રાજકોટ, જામનગર અને અમદાવાદ ખાતે મેળવ્યું. તેઓ બાળરોગ નિષ્ણાત તરીકે જામજોધપુર ખાતે તબીબી સેવા આપી રહ્યાં છે. તેઓ બાળપળથી જ સંગીત, કવિતા અને વાર્તા લેખનનો શોખ ધરાવે છે. લાંબા અને અનુભવી જીવન પછી ઉત્તરાર્ધમાં તેમણે લેખનનો પ્રારંભ કર્યો છે. ઉપરાંત તેઓ સામાજિક, શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓમાં સેવાઓ પણ આપી રહ્યાં છે.