10 Books / Date of Birth:-
17-02-1937 / Date of Death:-
09-12-2017
અવંતીકાબેન ગુણવંત ગુજરાતી લેખિકા છે. તેઓ અંગ્રેજી અને સાયકૉલોજી સાથે બી. એ. તથા ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ. એ. થયેલા છે. તેમણે 1961-1969 સુધી ‘રસરંજન’ બાલ અઠવાડિકનું સંપાદન કરેલું. 1969-1975 ‘બાલ ભારતી પ્રકાશન - ધોરણ ૧ ૨ ૩’ના ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને પર્યાવરણના પુસ્તકોનું લેખન અને પ્રકાશન. તેઓ વર્ષોથી ‘મુંબાઈ સમાચાર’, ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘સૌરાષ્ટ્ર સમાચાર’ (ભાવનગર), ‘હલચલ’, અને ‘સાંવરી’(કલકત્તા) વગેરે પ્રકાશનોમાં લોકપ્રિય કૉલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવનલક્ષી લેખો લખતા હતા. તેઓને 1998માં ‘સંસ્કાર પારિતોષિક’ એનાયત થયેલ છે.
View cart “Sahjivan Nu Pratham Pagathiyu” has been added to your cart.