3 Books / Date of Birth:-
08-01-1909 / Date of Death:-
13-07-1995
આશાપૂર્ણા દેવી એ ભારતની એક બંગાળી ભાષી કવયિત્રી અને નવલકથાકાર હતા. તેમણે 13 વર્ષની વયે લેખન શરૂ કર્યું હતું અને આજીવન સાહિત્યની સેવામાં કાર્યરત હતા. ગૃહસ્થ જીવનની બધી જવાબદારીઓ નિભાવતા, તેમણે લગભગ બસો જેટલી કૃતિઓની રચના કરી, જેમાંનાં ઘણાનો અનુવાદ ભારતની લગભગ બધી ભાષાઓમાં થયો છે. તેમની મુખ્ય કૃતિઓ ‘સ્વર્ણલતા’, ‘પ્રથમ પ્રતિશ્રુતિ’, ‘પ્રેમ અને પ્રયોજન’, ‘બકુલાકથા’, ‘પાતા’, ‘નીલ’, ‘જલ’, ‘આગુન’ વગેરે છે. તેમને 1976માં ‘જ્ઞાનપીઠ ઍવૉર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. આ ઍવૉર્ડ મેળવનારા તેઓ પ્રથમ મહિલા હતા. તેમનું પ્રથમ વાર્તા-સંકલન ‘જલ ઓર જામુન’ 1940માં પ્રકાશિત થયું હતું. તેમની પ્રતિભાને લીધે તેમને સમકાલીન બંગાળી નવલકથાકારોની પ્રથમ પંક્તિમાં ગૌરવ મળ્યું. તેઓ બળવાખોર હતા. 'હું સરસ્વતીનો સ્ટેનો છું'નું આ નિવેદન તેમની સર્જનાત્મકતા દર્શાવે છે.
View cart “Panch Varsh Lambi Varta” has been added to your cart.