Anirudhh Brahmbhatt
1 Book / Date of Birth:-
11-11-1935 / Date of Death:-
31-07-1981
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક હતા. તેમનો જન્મ પાટણમાં થયો હતો. 1958માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. થઈ 1960માં એ જ વિષયોમાં એમ.એ. 1959થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. 1968થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી અને પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન પામ્યા. ‘ઋષિવાણી’ એ ‘અખંડઆનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે.
View cart “Barakhadi Na Balkavyo” has been added to your cart.